
પ્રથમ ફેજમાં 51.04 કરોડના ખર્ચે મળીને કુલ 73.82 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ઉપરકોટ કિલ્લો સંપૂર્ણ રીતે નવા રૂપ રંગ સાથે તૈયાર થયાના છ મહિના પછી આગામી તારીખ 28 સપ્ટેમ્બરને ગુરૂવારના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પર્યટકો માટે ખુલ્લો મુકવાયો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરી ઉપરકોટને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરકોટનું નિરીક્ષણ હતું. જેમાં ઉપરકોટ પરની અડી કડી વાવ, નવઘણ કુવો અને નીલમ તોપ સહિતના સ્થળોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું. આ તકે પ્રવાસન વિભાગના અધિકારીઓ પાસેથી ઉપરકોટ અંગે જાણકારી મેળવી હતી.

ઉપરકોટ ખુલ્લો મુકાયા બાદ દરરોજ 800 થી હજાર પ્રવાસીઓ મુલાકાત લેશે આગામી દિવસોમાં આ સંખ્યા 5000 ને પાર કરે તેવી તંત્રને ધારણા છે. ઉપરકોટ માં શું શું નિહાળી શકાશે 1 અડીવાવ, 2 અનાજ ભંડાર, 3 ગાર્ડન એરીયા, 4 વોચ ટાવર, 5 પાર્થ વે, 6 ફિલ્ટરેશન ટાવર, 7 ગન પાવડર એરીયા, 8 એન્ટ્રન્સ ટાવર, 9 ઇનલેટ ટાવર,10 નવઘણ કુવો, 11 રાણક મહેલ, 12 કેનોન એરીયા, 13 બારૂદ ખાન, 14 એન્ટ્રી એક્ઝિટ ગેટ, 15 લાઈટ્સ એન્ડ સાઉન્ડ શો