
એકવાર આ પ્રોગ્રામ લાગુ થઈ જાય, કેનેડામાં અસ્થાયી રૂપે કામ કરતા લોકો સહિત તમામ એક્સપ્રેસ એન્ટ્રી શોધનારાઓને અસર થશે. જો કે, જે લોકો પહેલાથી જ અરજી કરવા માટે આમંત્રણ પ્રાપ્ત કરી ચૂક્યા છે અથવા જેમની PR માટેની અરજીઓ ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) ખાતે પ્રક્રિયામાં છે તેઓને નવા પ્લાન હેઠળ અસર થશે નહીં.

સરકારનું નવું પગલું એક્સપ્રેસ એન્ટ્રી હેઠળ જોબ ઓફર કરનારા તમામ ઉમેદવારોને લાગુ પડશે. ભારતે 2023 માં એક્સપ્રેસ એન્ટ્રી આમંત્રણોમાં તેનું વર્ચસ્વ ચાલુ રાખ્યું. જેમાં 52,106 ભારતીય નાગરિકોને કાયમી વસવાટ માટે અરજી કરવા માટે આમંત્રણ મળ્યું હતું. જે તે વર્ષે જારી કરાયેલા કુલ આમંત્રણોના 47.2 ટકા હતા. જો કે, જોબ ઓફર પોઈન્ટનું સંભવિત નિરાકરણ ભારત અને અન્ય દેશોના અરજદારો માટે નોંધપાત્ર પડકારો પેદા કરી શકે છે.