
મિલકતનું ખરીદ -વેચાણ :જો તમે પ્રોપર્ટી ખરીદતી વખતે રૂપિયા 30 લાખ કે તેથી વધુની રોકડ ટ્રાન્ઝેક્શન કરી હોય તો પ્રોપર્ટી રજિસ્ટ્રાર ચોક્કસપણે આ અંગે આવકવેરા વિભાગને જાણ કરશે. આ સ્થિતિમાં આટલઈ મોટી રકમના ટ્રાન્ઝેક્શનને કારણે આવકવેરા વિભાગ પૂછી શકે છે કે તમે પૈસા ક્યાંથી લાવ્યા અને સ્ત્રોત શું છે?

ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ :જો તમારું ક્રેડિટ કાર્ડનું બિલ રૂપિયા 1 લાખ કે તેથી વધુ આવે છે અને તમે તેને રોકડમાં પેમેન્ટ કરો છો તો પણ તમને પૈસાના સ્ત્રોત વિશે પૂછવામાં આવશે. જો તમે કોઈપણ નાણાકીય વર્ષમાં કોઈપણ રીતે 10 લાખ અથવા વધુની ચુકવણી કરો છો તો આવકવેરા વિભાગ તમને પ્રશ્નો પૂછી શકે છે કે તમારી પાસે પૈસા ક્યાંથી આવ્યા છે?

શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડની ખરીદી :જો મોટી માત્રામાં રોકડનો ઉપયોગ શેર, મ્યુચ્યુઅલ ફંડ, ડિબેન્ચર અથવા બોન્ડ ખરીદવા માટે કરવામાં આવે છે તો તે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ 10 લાખ કે તેથી વધુની લેવડદેવડ કરે છે તો તેની માહિતી આવકવેરા વિભાગ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં આવકવેરા વિભાગ તમને રોકડ અંગે માહિતી પૂછી શકે છે