
સ્ટેટ બેંક દ્વારા અવાર-નવાર ખાતાધારકોને મેસેજ દ્વારા સાવચેત કરવામાં આવી રહ્યા છે. બેંક કોઈ પણ કસ્ટમરને ફોન દ્વારા મેસેજ કરીને તેમના એકાઉન્ટ સંબંધિત માહિતી અપડેટ કરવાની સલાહ આપતી નથી. બેંક દ્વારા પાન કાર્ડની વિગતો અપડેટ કરવા માટે કોઈ પ્રકારની લિંક મોકલવામાં આવતી નથી.

SBI દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારે જો કોઈ વ્યક્તિ સાયબર ક્રાઈમનો શિકાર બને છે, તો તે બાબતે સાયબર ક્રાઈમમાં 1930 નંબર પર ફરિયાદ કરવી જોઈએ. આ ઉપરાંત તમે બેંકના ઈમેલ report.phishing@sbi.co.in પર પણ ફરિયાદ નોંધાવી શકે છે.