Gujarati NewsPhoto galleryIf you are also fond of eating jaggery consuming it in large quantities can cause harm
તમે પણ ગોળ ખાવાના શોખીન છો તો ચેતી જજો, વઘુ પ્રમાણમાં સેવન કરવાથી થઈ શકે છે નુકસાન
મોટાભાગના લોકોને જમ્યા પછી કંઈક ગળ્યુ ખાવા જોઈતુ હોય છે. ખાસ કરીને ભારતમાં લોકો પોતાના ઘરમાં કંઈક ગળ્યુ બનાવીને રાખતા હોય છે.જ્યારે કેટલાક લોકો તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા હોવાથી ગળ્યુ ખાવાનું ટાળે છે. તો કેટલાક લોકો શુગર અને ડાયાબિટીસને લગતી સમસ્યાઓથી બચવા માટે તેનાથી દૂર રહે છે. જો કે બીજી તરફ કેટલાક લોકો એવા છે જેમના માટે ગળ્યુ એટલુ મહત્વનું છે કે દિવસમાં એકવાર ગળ્યુ ખાઈ લે તો આખો દિવસ સારો જાય.પરંતુ દરેક વ્યક્તિ મીઠાઈ તરીકે સ્વાદિષ્ટ અને અદ્ભુત મીઠાઈઓ પર આધાર રાખી શકતી નથી. તેથી જ ભારતના દરેક ઘરમાં તમને મીઠાઈ મળે કે ન મળે પણ તમને ગોળ ચોક્કસથી મળી જાય છે.
તમે જોયું જ હશે કે હેલ્થ ફ્રીક લોકો એવું માનીને ગોળનું સેવન કરે છે કે તેનાથી તેમના ડાયટ પ્લાન પર કોઈ અસર નહીં થાય.ગોળ પ્રોટીન અને ચરબી તેમજ ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝથી ભરપૂર હોવાથી વજન વધી જાય છે.
5 / 5
ગોળ યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે છે.રોગપ્રતિકારક શક્તિ વધારવા અને ચયાપચયને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.પરંતુ જો તમે વધુ પડતા ગોળનું સેવન કરો છો તો તેનાથી પાચનતંત્રમાં અસંતુલન થઈ શકે છે. ( pic - Freepik)