સૂત્રોનું કહેવું છે કે આ નવી યોજનાના દાયરામાં સ્વ-રોજગાર અને નાના ઉદ્યોગોને લાવવામાં મદદ કરશે. PM મોદીએ ગયા વર્ષે સ્વતંત્રતા દિવસના ભાષણમાં કહ્યું હતું કે, “અમે આવનારા વર્ષોમાં એક નવી સ્કીમ લઈને આવી રહ્યા છીએ, જેનો લાભ એવા પરિવારોને મળશે જેઓ શહેરોમાં ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટીઓ, ચૌલ અને અનધિકૃત કોલોનીઓમાં રહે છે. જો તેઓ પોતાનું ઘર બનાવવા માંગે છે, તો અમે તેમને વ્યાજ દરોમાં રાહત અને બેંકો પાસેથી લોનમાં મદદ કરીશું, જેનાથી તેમને લાખો રૂપિયાની બચત કરવામાં મદદ મળશે.