
ટ્રેનમાં કોચ ઘટાડવામાં આવતા જ મુસાફરોએ તહેવારો સમયે જ હાલાકી વેઠવી પડી રહી છે. મુસાફરોનો ધસારો હાલમાં તહેવારોને લઈ રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા પણ એટલો જ વધારે જોવા મળી રહ્યો છે.

મુસાફરોનો ધસારો વધારે હોવાને લઈ કોચની સંખ્યાં ઓછી પડી રહી છે. જેના કારણ મુસાફરોએ ટ્રેનમાં ગીચોગીચ થઈને મુસાફરી કરવા માટે મજબૂર બનવુ પડ્યુ છે. આ માટે રેલવે તંત્રને પણ રજૂઆત કરીને રોષ ઠાલવવામાં આવી રહ્યો છે.

ભીડને લઈ અગવડતા સર્જાવાને લઈ મુસાફરોમાં રોષ ફેલાયો છે. એક તરફ હિંમતનગર રેલવે સ્ટેશન પર અગવડતાઓનો પાર નથી અને ત્યાં ભીડ વધવાને લઈ સમસ્યા સર્જાઈ રહી છે. ટ્રેન અને પ્લેટફોર્મ બંને જગ્યાએ મુસાફરો પૈસા ખર્ચીને પણ મજબુરી વેઠી રહ્યાનો અહેસાસ સાથે રોષ ઠાલવી રહ્યા છે.