
સોમનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. તે એક શહેર છે જે તેની પોતાની પૌરાણિક કથાઓમાં છવાયેલું છે. મંદિરો ઉપરાંત, તમને અહીં બીચ, મ્યુઝિયમ અને અન્ય આકર્ષણો પણ જોવા મળશે. સોમનાથ મંદિર અને સોમનાથ સમુદ્ર અહીં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે.

સાસણ ગીર આજ-કાલ લોકોનું ફેવરિટ સ્થળ બની રહ્યું છે. અહિ એશિયાઈ સિંહનો ઘર કહેવામાં આવે છે. જે દુનિયામાં એક માત્ર સ્થાન છે.જો તમે વેકેશનમાં ગીરના જંગલમાં સિંહ દર્શન કરવા જવાનું આયોજન બનાવી રહ્યા છો તો અહિ જરુર પરિવારને લઈ જાઓ. ગીરમાં આજુબાજુ અનેક રિસોર્ટ પણ આવેલા છે ત્યાં તમે નાઈટ સ્ટે કરી શકો છો.