
દર્શન કર્યા બાદ ગુજરાત સીએમ અયોધ્યા રામ મંદિર તીર્થ ક્ષેત્રમાં રામલલાના દર્શન કરી મંદિરનું નિરીક્ષણ કર્યુ હતુ. મંદિર નિરીક્ષણ કરતા તેમણે બધા સાથે વાતચીત પણ કરી હતી.

બપોરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અયોધ્યા પહોંચ્યા ત્યાં તેઓ ભગવાન રામની પૂજા કરી અને બાદમાં રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરવા પહોચ્યાં હતા. જે બાદ હવે શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ફાળવાયેલી જગ્યા અંગે પણ તેઓ સમીક્ષા કરશે.