
સુનીતાએ હિન્દી રશને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ગોવિંદા સાથે નથી રહેતી. સુનીતાએ કહ્યું હતું કે તેઓ મોટાભાગે અલગ રહે છે. સુનીતા બાળકો સાથે ફ્લેટમાં રહે છે. જ્યારે ગોવિંદા ફ્લેટની સામેના બંગલામાં રહે છે.

આ સિવાય સુનીતાએ કહ્યું હતું કે, 'કોઈ પણ માણસ પર ક્યારેય વિશ્વાસ ન કરો. લોકો કાચિંડાની જેમ રંગ બદલે છે. અમારા લગ્નને 37 વર્ષ થયા છે. તે ક્યાં જશે? પહેલા ક્યારેય ક્યાંય જતો નહોતો અને હવે મને ખબર નથી...' સુનીતાએ કહ્યું હતું - હું પહેલા ખૂબ જ સિક્યોર હતી. પણ હવે હું નથી. 60 પછી લોકોની બુદ્ધિ બગડી જાય છે. ગોવિંદાએ 60 વર્ષ પૂર્ણ કર્યા છે. કોણ જાણે શું કરી રહ્યો છે. મેં ગોવિંદાને કહ્યું કે તું 60 વર્ષનો થઈ ગયો છે, બુદ્ધિ બગડી ના જાય સાચવજે.

તમને જણાવી દઈએ કે ગોવિંદા અને સુનીતાના લગ્ન 1987માં થયા હતા. બંનેએ ખૂબ નાની ઉંમરમાં લગ્ન કરી લીધા હતા. તે સમયે સુનીતાની ઉંમર માત્ર 18 વર્ષની હતી. આ લગ્નથી સુનીતા અને ગોવિંદાને બે બાળકો ટીના અને યશવર્ધન છે.
Published On - 12:59 pm, Tue, 25 February 25