Gautam Prajapati | Edited By: Kunjan Shukal
Mar 18, 2021 | 5:27 PM
ગ્વાલિયરના Jyotiraditya Scindia પરિવારના પ્રખ્યાત જય વિલાસ પેલેસના રાણી મહેલમાં એક ઘરફોડ ચોરી થઈ છે. સૌથી સલામત ગણાતા જય વિલાસમાં બનેલી ઘટનાથી પોલીસમાં દોડધામ મચી ગઈ. સ્નિફર ડોગ દ્વારા પોલીસ ચોરો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. 12 લાખ ચોરસ ફૂટથી મોટો છે આ મહેલ. આ સુંદર મહેલની કિંમત આશરે 4,000 કરોડ છે. આ મહેલમાં 400થી વધુ ઓરડાઓ છે.
ખૂબ જ સલામત ગણાતા જય વિલાસ પેલેસમાં ઘરફોડ ચોરીની માહિતી મળતાં પોલીસ કાર્યરત થઈ છે અને તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસ અને ફોરેન્સિક ટીમે જય વિલાસ પેલેસનામાંથી ચોરી થયાના સમાચાર મળ્યા બાદ ત્યાંથી ફીંગરપ્રિન્ટ અને જરૂરી પુરાવા કબજે કર્યા. જય વિલાસ મહેલમાંથી ચોરોએ શું ચોરી કરી છે તે હજુ જાણી શકાયું નથી.
જય વિલાસની મુલાકાત માટે લોકો વિદેશથી આવે છે. આ મહેલ શ્રીમંત જયાજી રાવ સિંધિયાએ વર્ષ 1874માં બંધાવ્યો હતો. આ સમગ્ર રાજમહેલ લગભગ 40 એકરમાં ફેલાયેલો છે. જીવાજીરાવ સિંધિયા મ્યુઝિયમ ધરાવતા આ મહેલના આ ભાગને વર્ષ 1964માં લોકો માટે ખુલ્લો મૂકાયો હતો.
આ રાજમહેલ સેંકડો વિદેશી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આખા મહેલમાં 400 ઓરડાઓ છે. રૂમમાં ખાસ વાત એ છે કે તેમની દિવાલો સોના-ચાંદીની કારીગરીથી બનેલી છે.
મહેલમાં 3500 કિલોગ્રામના બે ઝુમ્મર સ્થાપિત છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે આ ઝુમ્મર સ્થાપિત કરવામાં આવ્યા ત્યારે 10 હાથીઓને 7 દિવસ સુધી છત પર ચડાવી રાખ્યા હતા. આ પરથી મહેલની છત કેટલી મજબૂત છે તેનો ખ્યાલ આવી શકે છે. વર્ષ 1874માં જય વિલાસ પેલેસની કિંમત 200 મિલિયન ડોલર હતી. આનું નિર્માણ માઈકલ ફિલોસે કર્યું હતું. જેમને નાઈટડુડનું બિરુદ આપવામાં આવ્યું હતું.
મહેલમાં 400 ઓરડાઓમાંથી આ વિશેષ ઓરડો જ્યોતિરાદિત્યના પિતા માધવરાવ સિંધિયાનો ઓરડો છે. આજે પણ આ ઓરડો તેમના નામે સચવાયો છે. માધવરાવ આ રૂમમાં આર્કિટેક્ટ અને તેની પસંદગીની પ્રાચીન વસ્તુઓ રાખતા હતા.