એક કે બે નહીં, ભારતના આ રાજ્યના છે ત્રણ પાટનગર
ભારત એક સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવતો દેશ છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. તમે ઘણીવાર સાંભળ્યું અને વાંચ્યું હશે કે ભારતના દરેક રાજ્યનું પોતાનું પાટનગર હોય છે. પરંતુ ભારતનું એક રાજ્ય એવું છે, જેના ત્રણ પાટનગર છે. આજે અમે તમને આ રાજ્ય વિશે જણાવીશું.
1 / 5
ભારત એક સાંસ્કૃતિક વારસો અને સમૃદ્ધ ઇતિહાસ ધરાવતો દેશ છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. આ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોતાની વિશેષતા છે.
2 / 5
તમે ઘણીવાર સાંભળ્યું અને વાંચ્યું હશે કે ભારતના દરેક રાજ્યનું પોતાનું પાટનગર હોય છે. પરંતુ ભારતનું એક રાજ્ય એવું છે, જેના ત્રણ પાટનગર છે. આજે અમે તમને આ રાજ્ય વિશે જણાવીશું.
3 / 5
ભારતમાં ત્રણ પાટનગર ધરાવતું રાજ્ય આંધ્રપ્રદેશ છે. સૌથી પહેલા વાત કરીએ, આંધ્રપ્રદેશના પ્રથમ પાટનગરની તો તે વિશાખાપટ્ટનમ છે. અહીં રાજ્યની કારોબારી આવેલી છે, એટલે કે રાજ્ય સરકાર અહીંથી કામ કરે છે.
4 / 5
આંધ્રપ્રદેશના બીજા પાટનગરની વાત કરીએ તો, તે અમરાવતી છે, જ્યાં રાજ્યની વિધાનસભા આવેલી છે. અહીં તમામ ધારાસભ્યો રાજ્યના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરે છે અને રાજ્યની નવી યોજનાઓ બનાવે છે. તેથી તે રાજ્યનું મહત્વનું પાટનગર પણ છે.
5 / 5
આંધ્રપ્રદેશના ત્રીજા પાટનગરની વાત કરીએ તો તે કુર્નૂલ છે. અહીં રાજ્યની હાઈકોર્ટ આવેલી છે, જ્યાં રાજ્યના વિવિધ અને મહત્વના મુદ્દાઓની સુનાવણી થાય છે અને નિર્ણયો લેવામાં આવે છે. જે જ્યુડિશિયલ પાટનગર તરીકે પણ ઓળખાય છે.
Published On - 5:18 pm, Sat, 24 August 24