Imran Shaikh | Edited By: Om Prakash Sharma
Jun 05, 2022 | 8:02 PM
મહાત્મા મંદિર ખાતે પીએમ યંગ achievers સ્કોલરશીપ, એવોર્ડ સ્કીમ ફોર વાઇબ્રન્ટ કાર્યક્રમ યોજાયો. જેમાં પીએમ યશસ્વી લોન્ચિંગ કાર્યક્રમ, OBC અને અન્ય યોજનાઓનું લોન્ચીંગ કરવામાં આવશે.
ગાંધીનગર ખાતે ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
કાર્યક્રમમાં સી.એમ.ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું કે વિશ્વ નેતા નરેન્દ્રભાઇ મોદીના શાસનને 8 વર્ષ પૂર્ણ થયા છે. દરેક વ્યક્તિને આ સરકારમાં ભરોસો છે. સરકારે યુવા શક્તિને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે.
સીએમએ જણાવ્યું કે, આજે સરકારે પીએમ યશસ્વી યોજનાની ભેટ આપી છે. દેશના લાખો વિદ્યાર્થીઓ માટે આ યોજના લાભદાયી થશે. આ એક જ યોજનાથી કરોડો વિદ્યાર્થીઓને આર્થિક લાભ મળશે.
એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ પાર પડશે. એક જ છત્ર નીચે વિવિધ યોજનાના લાભો મળે તેવી વ્યવસ્થાઓ કરી છે. પી.એમ. મોદીએ તકલીફ ભોગવી છે એટલે તેમને આ યોજના શરૂ કરી છે.
ગુજરાત સરકાર આ યોજનાને મજબૂત કરવાનું કામ કરી રહી છે. સમાજના દરેક સમાજના વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવાની નેમ લીધી છે. અને, પ્રાદેશિક શિક્ષણને પણ મહત્વ અપાયું છે. ગુજરાતના યુવાનો આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત સાકાર કરશે.