
બાળકોને શાળાઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોર્બેવેક્સ વેક્સિનનો પ્રથમ ડોઝ આપીને સુરક્ષા કવચ પ્રદાન કરવામાં આવશે.જ્યારે 28 દિવસના અંતરાલ બાદ બાળકોને વેક્સિનનો બીજો ડોઝ લગાવવામાં આવશે તેમ મંત્રીશ્રીએ જણાવીને રાજ્ય સરકાર પાસે કોર્બેવેક્ષ વેક્સિનના પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાંવ્યું હતુ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી દેશભરમાં આરંભાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત દેશમાં ૧૮૦ કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરી છે. ગુજરાતે પણ ૧૦ કરોડ ૪૭ લાખ ડોઝ કોરોના રસીકરણ દ્વારા રાજ્યના નાગરિકોને કોરોના રસીકરણ સામે સુરક્ષિત કર્યા છે.

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે રાજ્યના વાલીઓને બાળકોને કોરોનાની રસી અપાવીને કોરોના સામે સુરક્ષિત કરવા અનુરોધ કર્યો છે. 12 થી 14 ની વયના બાળકોના રસીકરણ પ્રસંગે ગાંધીનગર મેયર શ્રી હિતેશભાઇ મકવાણા,કોર્પોરેટરશ્રીઓ, જિલ્લાના અગ્રણીઓ,આરોગ્ય અધિકારીઓ, હેલ્થકેર વર્કસ અને મોટી સંખ્યામાં બાળકો અને 60 થી વધુ વયના વયસ્કો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. ( Photos- Hiren Khalas, Edited By- Omprakash sharma)