
ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ કરનાર ખુશી સોનીએ કહ્યું કે અમારે કંઈક નવું કરવું હતું. જેથી અમે વિચારતા હતા કે શું કરવું. વિચારતા વિચારતા અમે પોતે ચિંતામાં આવી જતા. જેથી આ વાત પરથી અમને આઈડિયા આવ્યો કે કેમ આપણે ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ શરૂ ન કરીએ. આ વિચાર આવતા જ તેમને રાજકોટમાં ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમ કર્યો જ્યાં લોકો પોતાનો ગુસ્સો આવીને ઠાલવી શકે છે.

ખુશીએ કહ્યું કે આ રૂમમાં 65 વર્ષના લોકો પણ આવે છે અને ટીનેજ પણ આવે છે. પત્ની સાથે ઝઘડો થયો હોય તેવા લોકો પણ અહીં આવે છે અને પ્રેમમાં દગો મળ્યો હોય તેવા લોકો પણ અહિંયા આવે છે. ખુશીએ અહિંયાના ભાવ વિશે વાત કરતા તેમને કહ્યું કે અમે નોર્મલ ચાર્જ રાખ્યો છે અહિંયા 199 રૂપિયા ચાર્જ રાખ્યો છે. જેમાં તે 3 મિનિટ સુધી પોતાનો ગુસ્સો આ રૂમમાં ઠાલવી શકે છે.

ખુશીનું કહેવુ છે કે આપણે ઘરમાં તોડફોડ કરીને આપણો ગુસ્સો ઠાલવી શકતા નથી. જેથી અમે અહિંયા એવી રીતે આખો રૂમ ડિઝાઈન કર્યો છે કે તે તેનો ગુસ્સો અહિંયા ઠાલવી શકે. લોકોની સેફ્ટી માટે કોસ્ચ્યુમ અને હેલ્મેટની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે જેથી કોઈને ઈજા કે નુકસાન ન થાય.

આ સાથે જ અહિંયા જે પણ લોકો આ ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમમાં આવે છે તેને પહેલા એગ્રીમેન્ટ સાઈન કરાવવામાં આવે છે. જેમાં કહેવામાં આવે છે કે ગુસ્સો ઠાલવતી વખતે જો કોઈ ઈજા થાય તો જવાબદારી પોતાની રહેશે. જેથી કરીને પાછળથી બીજા કોઈ ઈશ્યુ રહે નહીં.