
વડોદરાના ચાણોદ ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે

નદીના પાણી કેટલીક દુકાનો અને મકાનોમાં ભરાતા માલ સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે

આ ઉપરાંત મકાન અને દુકાનોમાંથી માલ-સામાન ખસેડવાની કામગીરીમાં પોલીસ અને વહીવટીતંત્ર સાથે સ્થાનિક લોકો પણ જોડાયા છે

તો બીજી તરફ ગામમાં પાણી ફરી વળતા વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે

ચોતરફ પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ચાણોદમાં આવેલા મંદિરમાં પણ નદીના પાણી ઘુસી ગયા છે