Fitness tips: જો તમે પણ કરી રહ્યા છો આ પરિસ્થિતિઓનો સામનો, તો ભૂલથી પણ ના કરો કસરત

|

Jan 15, 2022 | 9:19 AM

ઘણી વખત લોકો સ્વાસ્થ્ય સમસ્યાઓનો (Health issues) સામનો કરે છે, પરંતુ તેમ છતાં તેઓ કસરત (Exercise) કરવાનું બંધ કરતા નથી. આમ કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ સ્થિતિમાં અમે તમને તે પરિસ્થિતિઓ વિશે જણાવીએ છીએ, જેનો સામનો કરતી વખતે તમારે કસરત ન કરવી જોઈએ. આવો જાણીએ.

1 / 5
કમરનો દુખાવોઃ જો તમને થોડા દિવસોથી કમરનો દુખાવો થતો હોય તો ભૂલથી પણ કસરત ન કરો. આમ કરવાથી તમારી પીઠનો દુખાવો વધુ વધી શકે છે. તેના બદલે, તમારે આ બાબતે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

કમરનો દુખાવોઃ જો તમને થોડા દિવસોથી કમરનો દુખાવો થતો હોય તો ભૂલથી પણ કસરત ન કરો. આમ કરવાથી તમારી પીઠનો દુખાવો વધુ વધી શકે છે. તેના બદલે, તમારે આ બાબતે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

2 / 5
સાંધાનો દુ:ખાવોઃ જે લોકોને સાંધાનો દુખાવો હોય અથવા થોડા દિવસોથી આ દુખાવાથી પરેશાન હોય તેમણે પણ કસરત કરવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં, કસરત દરમિયાન મોટાભાગનું વજન સાંધાઓ પર પડે છે અને આમ કરવાથી વધુ પીડા થઈ શકે છે.

સાંધાનો દુ:ખાવોઃ જે લોકોને સાંધાનો દુખાવો હોય અથવા થોડા દિવસોથી આ દુખાવાથી પરેશાન હોય તેમણે પણ કસરત કરવાનું ટાળવું જોઈએ. વાસ્તવમાં, કસરત દરમિયાન મોટાભાગનું વજન સાંધાઓ પર પડે છે અને આમ કરવાથી વધુ પીડા થઈ શકે છે.

3 / 5
ઊંઘનો અભાવઃ જો તમને પૂરતી ઊંઘ ના થઇ હોય ત્યારે કસરત કરો તો એવું માનવામાં આવે છે કે તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. આટલું જ નહીં, આના કારણે તમે એક્સરસાઇઝ પર પૂરેપૂરું ધ્યાન આપી શકશો નહીં.

ઊંઘનો અભાવઃ જો તમને પૂરતી ઊંઘ ના થઇ હોય ત્યારે કસરત કરો તો એવું માનવામાં આવે છે કે તેનાથી ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. આટલું જ નહીં, આના કારણે તમે એક્સરસાઇઝ પર પૂરેપૂરું ધ્યાન આપી શકશો નહીં.

4 / 5
તાવ: જો તમને તાવ આવે છે અને હજુ પણ તમે સંપૂર્ણ સ્વસ્થ થયા નથી, તો કસરતને અવગણવી શ્રેષ્ઠ છે. જો કે ઘણી વખત લોકો કસરત ન કરવાની સલાહ આપવા છતાં પણ કરે છે અને તેમને ફરીથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તાવ: જો તમને તાવ આવે છે અને હજુ પણ તમે સંપૂર્ણ સ્વસ્થ થયા નથી, તો કસરતને અવગણવી શ્રેષ્ઠ છે. જો કે ઘણી વખત લોકો કસરત ન કરવાની સલાહ આપવા છતાં પણ કરે છે અને તેમને ફરીથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

5 / 5
સ્નાયુઓમાં તણાવ: ઘણી વખત કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને લોકો રૂટિન ન બગાડવાને કારણે વર્કઆઉટ કરતા રહે છે. આમ કરવાથી તણાવ  વધી શકે છે.

સ્નાયુઓમાં તણાવ: ઘણી વખત કસરત દરમિયાન સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને લોકો રૂટિન ન બગાડવાને કારણે વર્કઆઉટ કરતા રહે છે. આમ કરવાથી તણાવ વધી શકે છે.

Next Photo Gallery