
અપુર્તિ ઉંઘ પણ આંખઓની રોશની પર અસર કરી શકે છે. અપુર્તિ ઉંઘના કારણે આંખોના સ્નાયુઓ માં ખેચાણ અનુભવાય છે. જે બાદમાં આંખોને નુકસાન કરી શકે છે.

સ્ક્રીન ટાઈમ - આ દિવસોમાં કામના કારણે લોકોને લાંબા સમય સુધી લેપટોપ કે કંમ્પ્યુટરની સ્ક્રિન પર કામ કરવું પડતું હોય છે. તેનાથી આંખોની રોશનીમાં ઝાંખપ આવવાની શક્યતા રહે છે. તેથી તે મહત્વનું છે કે તમે દર 20 મિનિટે બ્રેક લેતા રહો.

ડિહાઇડ્રેશન - ઘણા લોકો પૂરતું પાણી પીતા નથી. તેનાથી આંખોની રોશની પણ ઘટી શકે છે. એટલા માટે દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. તે આંખોની રોશની જાળવવામાં મદદ કરે છે.