
લખીને કરો પ્રેક્ટિસ - કોઈપણ પાઠને સમજ્યા પછી તેના કેટલાક મહત્તવના મુદ્દાઓ લખો. લેખન દ્વારા પ્રેક્ટિસ કરવાથી વિષય પર તમારી પકડ મજબૂત બને છે. આ ઉપરાંત તે પરીક્ષામાં વધુ સારું લખવા માટે મદદ મળી શકે છે. કારણ કે જ્યારે તમે લખીને વિષય તૈયાર કરો છો ત્યારે તે યાદ કરેલી વસ્તુઓમાં થયેલી ભૂલોને પકડવામાં ચોક્કસપણે મદદ મળે છે. તેથી વિદ્યાર્થીઓએ આ તરફ પણ ધ્યાન આપવું જોઈએ કે પોતે લખીને તૈયારીઓ કરે.

સેમ્પલ પેપર - પરીક્ષાની મેથડને સમજવા માટે વિદ્યાર્થીઓ સેમ્પલ પેપરમાંથી તૈયારીઓ કરવી જોઈએ. તો સેમ્પલ પેપર પર નજર રાખવી જોઈએ. આ સાથે તમે જૂના વર્ષોના પ્રશ્નપત્રો પણ જોઈ શકો છો.