શું તમે દરરોજ થાક અનુભવો છો, થોડું કામ કર્યા પછી કે પછી થોડું ચાલ્યા પછી તમારુ શરીર થાકી જાય છે અને તમને સૂઈ જવા કે બેસી જવાનું મન થઈ જાય છે. ત્યારે આ બધા તમારા શરીરની એનર્જીના અભાવના લક્ષણો હોઈ શકે છે. જ્યારે શરીરમાં સ્ટેમિનાનો અભાવ હોય છે, ત્યારે તમને લગભગ દરેક કાર્યમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરીરમાં સ્ટેમિનાનો અભાવ ઘણા કારણોને કારણે હોઈ શકે છે, જેમ કે ઊંઘનો અભાવ, પોષક તત્વોનો અભાવ, ઓછું પાણી પીવું વગેરે. ત્યારે શરીરમાં એનર્જી વધારવા માટે કેટલાક બેસ્ટ ફ્રુટ છે જે ઝડપથી શરીરને એનર્જીથી ભરી દે છે ત્યારે ચાલો જાણીએ .
તમે કેળા ખાઈ શકો છો. કેળામાં પોટેશિયમ અને વિટામિન B6 હોય છે. તેના માટે તમે કેળાની ચાટ અથવા સ્મૂધીને ડાયટમાં સામેલ કરી શકો છે. જેમાં ઓટ્સ અને થોડું દૂધ એડ કરવાથઈ સ્મૂધી ટેસ્ટી અને તમાીરી ભૂખ પણ સંતોષસે
બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને બ્લૂબેરી જેવી અનેક પ્રકારની બેરીને ડાયટમાં સામેલ કરી શકાય છે. તમે બેરી સાથે સ્મૂધી પણ બનાવી શકો છો. આ રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.
તમારા આહારમાં ફાઈબરયુક્ત સફરજનનો સમાવેશ કરો. તેમાં કુદરતી ખાંડ હોય છે. સફરજન ખાવાથી ન માત્ર સ્ટેમિના વધે છે પણ તમે લાંબા સમય સુધી એનર્જેટિક પણ રહી શકશો.
તમે વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કેરી ખાઈ શકો છો. મેંગો શેક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે. મેંગો શેક પીવાથી એનર્જી પણ વધે છે.
તમારા આહારમાં અનાનસનો સમાવેશ કરો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તેમાં બળતરા વિરોધી ગુણધર્મો પણ છે. તેમજ આ ફળ શરીર કે હાથ પગમાં આવેલ સોજો પણ ઓછો કરે છે.
કીવીમાં વિટામિન સી, પોટેશિયમ અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. કીવી તમારું એનર્જી લેવલ વધારે છે.