
જો રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 4 થી 5.9 હોય તો નુકસાન થાય છે. તેનાથી પંખા અને ઘરનો સામાન હલવા લાગે છે. જો બારીઓ કાચની હોય તો તૂટવાની શક્યતા પણ રહે છે.

રિક્ટર સ્કેલ પર 7 થી 7.9 તીવ્રતાનો ભૂકંપ એ વિનાશ સર્જી શકે છે. આ તીવ્રતામાં આવેલા ધરતીકંપથી બિલ્ડિંગ અને મકાનો તૂટી જાય છે. ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળે છે.

જો ધરતીકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 8 થી 8.9 હોય, તો તે ભયંકર તબાહી મચાવે છે. સમુદ્રમાં સુનામી પણ આવી શકે છે અને તેની અસર ઘણા કિલોમીટર સુધી થાય છે. જો રિક્ટર સ્કેલ પર તીવ્રતા 9 ઉપર જાય તો સર્વત્ર ભયંકર તબાહી મચી જાય છે.