
ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હવે દ્વારકા પ્રવાસન સ્થળ તરીકે બારેમાસી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. બે વર્ષ સુધી કોરોનાના કારણે અંહી લોકોના અવર-જવર ઓછી થઈ હતી જે કોરોના કેસ નહીવત જેવા થતા જ પ્રવાસીઓ દ્રારકામાં પ્રવાસ માટે દોડી આવે છે. જેમાં 50 ટકા પ્રવાસીઓ એડવાન્સ બુકીંગ કરીને 2 થી 4 દિવસનુ રોકાણ કરતા હોય છે. દ્વારકામાં આશરે 125 જેટલી નાની-મોટી હોટેલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, રીસોર્ટ આવેલા છે. જે શનિવાર-રવિવારમાં 60 ટકાથી વધુ ભરાયેલ હોય છે.

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા વધી છે. અગાઉ દ્વારકામાં દેશ-વિદેશની પ્રવાસીઓ વધુ અને ગુજરાતી પ્રવાસીઓની સંખ્યા ઓછી હતી. પરંતુ હવે ગુજરાતી પ્રવાસી અન્ય રાજયના પ્રવાસ કરતા દ્રારકા પ્રવાસ વધુ પસંદ કરતા થયા છે. જે ઓછા સમયમાં ટુંકા પ્રવાસમાં તેમજ અન્ય રાજયના પ્રવાસ કરતા ઓછા ખર્ચમાં રજાની મજા માણતા હોય છે.

દ્વારકા આવતા પ્રવાસીઓ નજીક આવેલા શિવરાજપુર બીચ અવશ્ય મુલાકાત લે છે. જયાં દિવસનો મોટાભાગનો સમય દરીયા કિનારે પ્રસાર કરે છે. હાલ ગરમીના સમયે દરીયામાં ન્હાવાની મજા માણે છે. જો કે દરીયામાં ચાલતી બોટ, રાઈડ સ્કૂબા ડાઈવીંગ જેવી પ્રવૃતિ હાલ બંધ છે. ઓખાથી બેટ-દ્રારકા જતી વખતે પ્રવાસીઓ બોટીંગની મજા લે છે.

જયા બોટની આસપાસ આકાશમાં ઉડતા સીગલ સફેદ પક્ષીને નજીકથી નિહાળે છે. બોટની નજીકમાં દરીયામાં ડોલફીન ડાઈવીંગ કરતા જોવા મળે છે.