
મીઠું બગડતું નથી તેનું એક કારણ એ છે કે તે ઘણા જીવાણુઓ માટે ખતરો છે. નેશનલ એકેડેમિક્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિસિનના અહેવાલ મુજબ, ખોરાકમાં મીઠું ઉમેરવાથી માઇક્રોબાયલ કોશિકાઓ ઓસ્મોટિક શોકમાંથી પસાર થાય છે. આને કારણે, માઇક્રોબાયલ કોષોમાંથી પાણીની અછત હોઈ શકે છે. આ પ્રક્રિયાને કારણે માઇક્રોબાયલ કોષો વધવા સક્ષમ નથી.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અનુસાર, શુદ્ધ મીઠું ક્યારેય બગડતું નથી. પરંતુ અશુદ્ધ દરિયાઈ મીઠામાં ઓછી માત્રામાં દરિયાઈ શેવાળ હોય છે. ઘરોમાં વપરાતા આયોડીનયુક્ત મીઠામાં આયોડીન કેમિકલ હોય છે. ટેબલ અને કોશર મીઠામાં એન્ટી-કેકિંગ એજન્ટ નામનુ તત્વ હોય છે, જે સમય જતાં મીઠાના ખરાબ થવાનું કારણ બની શકે છે.આનાથી મીઠામાં ભેજ પ્રવેશી શકે છે અને તેમાં ગઠ્ઠો બનવાનું શરૂ થઈ શકે છે. આથી એમ કે આપણા ઘરે વપરાતુ મીઠું કેમિકલ વાળુ અને પ્રોસેસ્ડ હોય છે આથી તેમાં ભેજ થઈને બગડી શકે છે પણ શુદ્ધ મીઠું ક્યારેય ખરાબ થતુ નથી અને ના તો તેની એક્સપાયરી ડેટ હોય છે.