
વિજ્ઞાન કહે છે કે જો તમે આમ કરો છો તો લાંબા ગાળે ફ્રિજની કાર્યક્ષમતા ઘટી શકે છે. કારણ કે જ્યારે પણ તમે ફ્રિજમાં ગરમ ખોરાક રાખો છો, તો તે અંદરનું તાપમાન બગાડે છે. તે ફ્રીજની અંદર રાખવામાં આવેલી વસ્તુઓને પણ અસર કરે છે. તાપમાનને નિયંત્રિત કરવા માટે, ફ્રીજ પર દબાણ વધી જાય છે.

રિપોર્ટ અનુસાર ગરમ ખોરાક રાખતી વખતે રેફ્રિજરેટરના કોમ્પ્રેસરને તાપમાન જાળવી રાખવા માટે વધુ કામ કરવું પડે છે. આવું વારંવાર કરવાથી કોમ્પ્રેસરની આવરદા ઘટી શકે છે અને ખરાબ થવાનું જોખમ વધી જાય છે. તેથી આ ન કરવાની સલાહ આપવામાં આવે છે. નિષ્ણાતોએ આવું ન કરવાનું બીજું કારણ આપ્યું છે.

નિષ્ણાતો કહે છે, ફ્રિજનું તાપમાન ઠંડું હોય છે, પરંતુ જ્યારે તેમાં ગરમ વસ્તુઓ રાખવામાં આવે છે, ત્યારે ફ્રિજની અંદરની હવા ઘટ્ટ થવા લાગે છે અને દિવાલો પર ટીપાં બાજી જાય છે. આ પાણીના ટીપાં ખોરાકમાં પણ પડી શકે છે અને ખોરાકમાં ભેજ વધારે છે. તેનાથી ખોરાક બગડવાનું જોખમ વધી જાય છે, તેથી આવી ભૂલ કરવાનું ટાળો.