દિવાળી 2023: રાજકોટમાં આતશબાજી, આકાશમાં જોવા મળ્યા રંગબેરંગી રંગોળી જોવા દ્રશ્યો, જુઓ તસ્વીરો
આતશબાજીના કાર્યક્રમ દરમિયાન ડૉ.ભરત બોઘરાએ હાજર રહીને કહ્યું કે આપણે સૌ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલી શક્તિ આપે કે આપણો દેશ વિશ્વની મહાસત્તા બને. હવે આગામી 21 જાન્યુઆરી 2024ના રોજ બીજી દિવાળી ઉજવીશું. કેમકે ત્યારે અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે. આપણા સૌ માટે એ દિવ્ય અવસર બની રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી 40 વર્ષ પૂર્વે ધનતેરસના પર્વ પર આતશબાજી યોજવાની પરંપરા શરુ કરવામાં આવી હતી અને એ વખતે 10 મિનિટ જેવા સમય માટે આતશબાજી કરવામાં આવી હતી.
5 / 5
જોકે આતાશબાજીની આ પરંપરા આ વર્ષે પણ આગળ ધપાવવામાં આવી છે અને તેમાં સતત એક કલાક સુધી અવનવી વેરાયટીની આતશબાજી દ્વારા આકાશીય રંગોળી રચવામાં આવે છે. સાથોસાથ, મેયર અને ચેરમેન એ કમિશ્નરે હાજર રહીને શહેરીજનોને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.