
સંશોધકોનું કહેવું છે કે, બાયોસ્ફિયર પૃથ્વીને કેવી રીતે બદલી રહ્યું છે તેના દ્વારા પૃથ્વીની બુદ્ધિમત્તાને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પૃથ્વી પરિવર્તનને કેવી રીતે પ્રતિક્રિયા આપે છે? પૃથ્વી પરિવર્તન સાથે સંતુલન કેવી રીતે કરવાનો પ્રયાસ કરી રહી છે? સંશોધનમાં આને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી ઓફ રોચેસ્ટર, પ્લેનેટરી સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ અને એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકો આ સંશોધનમાં સામેલ છે.

સંશોધકો કહે છે કે, ગ્રહની બુદ્ધિ તેની આસપાસની સિસ્ટમ પર નિર્ભર કરે છે. જેમ કે બાયોસ્ફિયર એટલે જીવમંડળ. સાયન્સ એલર્ટના રિપોર્ટ અનુસાર, પૃથ્વી કેવી રીતે કામ કરે છે તે પ્રશ્નના જવાબથી ભવિષ્યમાં ઘણા પ્રશ્નોના જવાબ શોધવામાં સરળતા રહેશે.