
આ અંગે DDOએ TV9 સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે મોંઘી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવો એક સ્ટેટશ બની ગયું છે, પરંતુ રાજયની સરકારી આંગણવાડી હોય કે શાળાઓ તેમાં શિક્ષણની ગુણવતા સારી છે સરકાર અને તંત્રના અથાગ પ્રયત્નોથી આંગણવાડીઓ અને શાળાઓની સ્થિતિ સુધરી છે.

વધુમાં DDOએ કહ્યું કે આંગણવાડીઓમાં બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે તેમજ આરોગ્ય ચકાસણી કરાય છે. સાથો સાથ વિસરાતી જતી સંસ્કૃતિનું પણ જતન થાય છે. ત્યારે મારા દિકરા માધવનને પણ આંગણવાડીમાં મૂક્યો છે તેનો મને આનંદ છે. (with input : pritesh panchal)
Published On - 7:30 pm, Fri, 15 December 23