દેશ પર ચક્રવાત ‘મિચોંગ’ નો કહેર, 100KMની ઝડપે ફૂંકાતા પવન સાથે આકાશી આફત, જુઓ તબાહીની તસવીર

ચક્રવાત 'મિચોંગ' તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં ભારે તબાહી સર્જે તેવી સંભાવના છે. આ રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરવામાં આવી છે. હાલ સુધીમાં ચેન્નાઈમાં ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે અને ભારે પવનને કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયું છે. આ સમગ્ર NDRFએ ચાર્જ સંભાળ્યો છે.

| Updated on: Dec 04, 2023 | 6:37 PM
4 / 6
આ સંભવિત જોખમના કારણે આંધ્ર પ્રદેશ સરકારે આજે તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વધુમાં, તમિલનાડુ સરકારે ચાર જિલ્લા ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.

આ સંભવિત જોખમના કારણે આંધ્ર પ્રદેશ સરકારે આજે તમામ શાળાઓને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વધુમાં, તમિલનાડુ સરકારે ચાર જિલ્લા ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, તિરુવલ્લુર અને કાંચીપુરમમાં શાળાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.

5 / 6
ચક્રવાતી તોફાનના જોખમને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 10 વધારાની ટીમો અનામત રાખવામાં આવી છે.

ચક્રવાતી તોફાનના જોખમને ધ્યાનમાં રાખીને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 10 વધારાની ટીમો અનામત રાખવામાં આવી છે.

6 / 6
આંધ્રપ્રદેશના આઠ જિલ્લા તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ચક્રવાત આગામી ત્રણ દિવસ એટલે કે 7 ડિસેમ્બર સુધી વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરશે અને તે બાદમાં શાંત થઈ જશે.

આંધ્રપ્રદેશના આઠ જિલ્લા તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડાને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ચક્રવાત આગામી ત્રણ દિવસ એટલે કે 7 ડિસેમ્બર સુધી વધુ ખતરનાક સ્વરૂપ ધારણ કરશે અને તે બાદમાં શાંત થઈ જશે.