
ત્રણ મેચોની વનડે સિરીઝ17 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી રમાશે. ચહલે ભારત માટે તેની છેલ્લી વનડે મેચ જાન્યુઆરી 2023માં ન્યૂઝીલેન્ડ સામે રમી હતી.ચહલે તેના સોશિયલ મીડિયા પર ચાર શબ્દોની પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં પોતાનો ફોટો શેર કરતી વખતે યુઝવેન્દ્રએ કેપ્શન લખ્યું,Here we go AGAIN!

યુઝવેન્દ્ર ચહલ ટી 20 મેચમાં હરારે ખાતે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 18 જૂન, 2016ના રોજ ડેબ્યુ કર્યું હતુ. ચહલે છેલ્લી ટી 20 સિરીઝ લોડરહિલ ખાતે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 13 ઓગસ્ટ, 2023ના રોજ રમી હતી.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે ઝિમ્બાબ્વે વિરુદ્ધ ભારત હરારે ખાતે 11 જૂન, 2016ના રોજ ODI મેચમાં ડેબ્યુ કર્યું હતુ. તેમજ ઈન્દોર ખાતે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 24 જાન્યુઆરી, 2023ના રોજ ODIની છેલ્લી મેચ રમી હતી.

વર્લ્ડકપમાં અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ યુઝવેન્દ્ર ચહલને લઈને સૌથી ચોંકાવનારો નિર્ણય લીધો હતો. આ લેગ સ્પિનર ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવી શક્યો ન હતો. ચહલની ટીમમાં ગેરહાજરી પર અનેક સવાલો પણ ઉઠ્યા હતા. ભારતે આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે સિરીઝ માર્ચ મહિનામાં રમી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જુલાઈ-ઓગસ્ટમાં તેમજ એશિયા કપ સપ્ટેમ્બરમાં રમાયો અને વર્લ્ડ કપ 2023માં ચહલને સ્થાન મળ્યું ન હતુ.