
પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ યશસ્વીએ પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ઋતુરાજ ગાયકવાડને કહ્યું સોરી.વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં યશસ્વી જયસ્વાલે એક શોટ રમ્યો અને બે રનમાં ઝડપથી દોડી ગયો.

પ્રથમ રન પૂરો કર્યા પછી, તેણે આત્મવિશ્વાસપૂર્વક રુતુરાજને બીજા રન માટે બોલાવ્યો અને લગભગ અડધે સુધી પહોંચી ગયો. રુતુરાજે પણ તેના કોલ પર વિશ્વાસ કર્યો અને અડધી પીચ પર આવી ગયો, પરંતુ તે પછી જયસ્વાલને લાગ્યું કે તે રન પૂરો કરી શકશે નહીં, તેથી તે પાછો ફર્યો, અને રુતુરાજને સ્ટ્રાઈકરના છેડે પાછા ફરવાની કોઈ તક ન હતી. અને તે રન આઉટ થયો હતો અને એક પણ બોલ રમ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.
Published On - 11:23 am, Mon, 27 November 23