
પહેલી T20માં સૂર્યકુમાર યાદવે 42 બોલમાં 80 રન ફટકાર્યા હતા અને પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો, જ્યારે બીજી T20માં સૂર્યાએ 10 બોલમાં 19 રન બનાવ્યા હતા. ત્રીજી મેચમાં પણ સૂર્યાએ સારી બેટિંગ કરી હતી અને 29 બોલમાં 39 રન ફટકાર્યા હતા.

T20માં સૂર્યકુમાર યાદવની દમદાર બેટિંગની સાથે સારી કપ્તાનીના કારણે BCCIએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સૂર્યાને આફ્રિકા પ્રવાસમાં ટીમની કપ્તાની સોંપી છે. સૂર્યાને T20 ફોર્મેટમાં સતત સારા પ્રદર્શનનું ઈનામ મળ્યું છે.