
રહાણે અને પુજારા ખૂબ જ લાંબા સમયથી ટૂંકા ફોર્મેટથી પણ દૂર છે, એવામાં ટેસ્ટ મેચો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત તરફથી રમવા માટે તેની પાસે એકમાત્ર વિકલ્પ હતો. બંનેના ખરાબ પ્રદર્શન સિવાય તેમની વધતી ઉંમર પણ સિલેક્શનમાં આડે આવી છે. એવામાં હવે તેમના કમબેક કરવાના ચાન્સ પણ ઘટી ગયા છે અને તેમનું કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે એવું માનવામાં આવી રહ્યું છે.

પુજારા-રહાણે સિવાય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ પણ ટીમમાં સ્થાન મેળવી શક્યો નથી. ઉમેશ પણ T20 અને ODI ફોર્મેટમાં લાંબા સમયથી રમ્યો નથી. આ સિવાય ટેસ્ટમાં પણ તેનું સ્થાન નિશ્ચિત હોતું નથી, એવામાં આફ્રિકા સામેની સીરિઝમાં ટેસ્ટ ટીમમાં પણ સ્થાન ન મળતા ઉમેશ યાદવના પણ ટીમ ઈન્ડિયામાં કમબેક કરવાના ચાન્સ ઘટી ગયા છે.
Published On - 11:48 am, Fri, 1 December 23