
તમને જણાવી દઈએ કે કરુણ નાયરે ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે ત્રેવડી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. કરુણ નાયક વીરેન્દ્ર સેહવાગ પછી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ખેલાડી હતો. પરંતુ તેમ છતાં, તે આ ફોર્મેટમાં ભારત માટે વધુ સમય સુધી રમી શક્યો ન હતો.

ખરાબ ફોર્મના કારણે તેને ટીમમાંથી વહેલા બહાર નીકળી જવું પડ્યું હતું. આઈપીએલમાં પણ નાયરનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું નથી. તે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો માટે રમ્યો છે. પરંતુ અત્યાર સુધી તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે.