
કેપ્ટન સૂર્યકુમાર યાદવ ચોથા સ્થાન પર ઉતરી શકે છે. મિડિલ ઓર્ડરમાં પણ ફેરફાર થઈ શકે છે. ઈશાન કિશને પહેલી 2 મેચમાં અડધી સદી ફટકારી હતી પરંતુ વિકેટકીપિંગ સારુ કરી શક્યો ન હતો. ચોથી ટી 20મેચમાં તેની જગ્યા જીતેશ શર્મા લઈ શકે છે. છઠ્ઠા નંબર પર રિંકી સિંહ ઉતરી શકે છે. કારણ કે તે લાંબી રેસનો ખેલાડી છે.

પ્રસિદ્ધ કૃષ્ણાના ગત્ત મેચમાં ખુબ મોંઘો સાબિત થયો હતો. માટે હવે તેના સ્થાને મુકેશ કુમારને સ્થાન દિપક ચહરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. તેની સાથે અર્શદિપ સિંહ અને અવેશ ખાનને પણ ચાન્સ મળી શકે છે. સ્પિનરની જવાબદારી અક્ષર પટેલ અને રવિ બિશ્રોઈને સોપી શકાય છે.

ચોથી T20 મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન જોઈએ તો, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, જીતેશ શર્મા, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, દીપક ચહર, અવેશ ખાન, રવિ બિશ્નોઈ, અક્ષર પટેલ અને રવિ બિશ્નોઈ.