રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું કે તેમણે અકસ્માતની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, "અકસ્માત દુર્ભાગ્યપૂર્ણ હતો, અને તેમના મંત્રાલયને ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી." રેલ્વે મંત્રાલયે મૃતકોના નજીકના પરિજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને નજીવી ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. માહિતી મુજબ, CRS/SE સર્કલ એ.એમ. ચૌધરી અકસ્માતની તપાસ કરશે.(ફોટો ક્રેડિટ- PTI)