
એ ફિલ્મમાં પણ રાની એક સત્ય ઘટના આધારિત કહાનીમાં માતાનો રોલ કરી રહી હતી. જેમા એ માતાએ તેના બાળક ગુમાવ્યુ હતુ. જો એ વખત એ ખબર ફેલાઈ જતી કે રાનીએ વાસ્તવિક જિંદગીમાં પમ તેનુ બાળક ગુમાવ્યુ છે તો અનેક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવતા.

એ ભયના રાનીએ મિસકેરેજની વાત છુપાવી રાખી. સતત બે વર્ષ સુધી તેમણે કોઈને ખબર ન પડવા દીધી. રાની મુખર્જીએ છાતીમાં પીડા સાથે આખી ફિલ્મ પુરી કરી. ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ તેમણે તેના આંસુને રોકી રાખ્યા હતા.

રાની મુખર્જીની આ માનસિક સ્થિતિ વિશે બહુ નજીકના લોકો સિનાય કોઈને ખબર ન હતી. સેટ પર પણ તેમણે બધાથી આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ તેની અંદર દબાવીને રાખ્યુ

ટ્રોલર્સના ડરના કારણે. તેને એવો ડર હતો કે કોઈ તેની ભાવનાઓની ચિંતા નહીં કરે. તેને એ વિચારીને ભારે ડર લાગતો કે લોકો તેને ખરી ખોટી સુણાવશે. ઘણા સમય સુધી તેમણે તેનુ મોં બંધ રાખ્યુ અને હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવી દીધુ.