Aravalli: અમદાવાદના નરોડાથી ધનસુરા સ્ટેટ હાઈવે ફોર લાઈન થશે, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યુ-શામળાજી યાત્રાળુઓને મોટો ફાયદો થશે

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા અરવલ્લીના માલપુરમાં યોજાયેલ કાર્યક્રમમાં રહી 338.66 કરોડના વિકાસ કાર્યોના ખાતમુર્હત અને લોકાર્પણ કર્યા હતા. જેમાં નરોડા-ધનસુરા સ્ટેટ હાઈવેને ફોર લાઈન કરવા માટે ખાતમુર્હત કરાયુ હતુ.

| Updated on: Aug 13, 2023 | 11:44 AM
4 / 5
અરવલ્લી જિલ્લામાં જળ સંપતિ વિભાગના માલપુર ગામના પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠાથી પાણી ઉદ્ વહન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના તળાવો ભરી સિંચાઈની સુવિધા પૂરી પાડવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત 178.37 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટથી જિલ્લાના ત્રણ તાલુકાના 51 ગામોના 73 તળાવો ભરી સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. અરવલ્લી જિલ્લાનું કોઈ તળાવ પાણી ભરાયાં વિના ન રહી જાય તેવી વ્યવસ્થા ભવિષ્યમાં કરવામાં આવશે એમ ઉમેર્યુ હતુ.

અરવલ્લી જિલ્લામાં જળ સંપતિ વિભાગના માલપુર ગામના પનાવાડા ગામે વાત્રક નદીના ડાબા કાંઠાથી પાણી ઉદ્ વહન કરી માલપુર, મેઘરજ તથા મોડાસા તાલુકાના તળાવો ભરી સિંચાઈની સુવિધા પૂરી પાડવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અંદાજિત 178.37 કરોડના ખર્ચે તૈયાર થનાર આ પ્રોજેક્ટથી જિલ્લાના ત્રણ તાલુકાના 51 ગામોના 73 તળાવો ભરી સિંચાઇના પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. અરવલ્લી જિલ્લાનું કોઈ તળાવ પાણી ભરાયાં વિના ન રહી જાય તેવી વ્યવસ્થા ભવિષ્યમાં કરવામાં આવશે એમ ઉમેર્યુ હતુ.

5 / 5
મુખ્યમંત્રીના હસ્તે મેશ્વો જળાશય આધારિત લિફ્ટ ઇરીગેશન યોજના થકી ભિલોડા અને મેઘરજ તાલુકાના તળાવો ભરી સિંચાઈના પાણીની સુવિધા પૂરી પાડવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ 77.72 કરોડના ખર્ચે તૈયાર થનાર આ યોજનાથી 26 ગામના 31 તળાવો ભરી જિલ્લાના મોટી સંખ્યામાં આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકામાં પણ પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. બંને સિંચાઈના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જળસંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજય મંત્રી મુકેશ પટેલ , રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીના હસ્તે મેશ્વો જળાશય આધારિત લિફ્ટ ઇરીગેશન યોજના થકી ભિલોડા અને મેઘરજ તાલુકાના તળાવો ભરી સિંચાઈના પાણીની સુવિધા પૂરી પાડવાના કામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રૂ 77.72 કરોડના ખર્ચે તૈયાર થનાર આ યોજનાથી 26 ગામના 31 તળાવો ભરી જિલ્લાના મોટી સંખ્યામાં આદિજાતિ વસ્તી ધરાવતા તાલુકામાં પણ પાણીની સમસ્યાનું નિવારણ લાવી શકાશે. બંને સિંચાઈના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જળસંપત્તિ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, રાજય મંત્રી મુકેશ પટેલ , રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 10:04 pm, Sat, 12 August 23