
જો કોઈ વ્યક્તિ વસિયત લખ્યા વિના મૃત્યુ પામે છે અને તેની મિલકત પર દાવો કરવા માટે પત્ની, પુત્ર અથવા પુત્રી જેવા વર્ગ I ના કોઈ દાવેદારો નથી. તો આવી સ્થિતિમાં, તે વ્યક્તિની બહેન (વર્ગ II દાવેદાર) તેના ભાઈની મિલકત પર દાવો કરી શકે છે.

આ સિવાય મિલકતમાં બહેન-દીકરીઓના હિસ્સાને લઈને પણ ઘણા નિયમો છે. કાયદા અનુસાર, માતા-પિતા તેમની પોતાની કમાણીમાંથી મેળવેલી તેમની સંપૂર્ણ સંપત્તિ તેમની પરિણીત પુત્રીને આપી શકે છે. આવી સ્થિતિમાં પુરુષનો પુત્ર એટલે કે છોકરીનો ભાઈ કંઈ કરી શકતો નથી. પરંતુ પૈતૃક મિલકતના કિસ્સામાં, ભાઈ અને બહેન તેમના પિતાની મિલકતમાં સમાન હિસ્સો ધરાવે છે.

આ કિસ્સામાં પિતા પોતાની ઈચ્છા મુજબ કોઈ એકને પણ પોતાની મિલકત આપી શકતા નથી. કારણ કે તે મિલકત પર લિગલી હક બન્નેનો બને છે.