
અંદાજે 1.5 લાખ જેટલાં અન્નકૂટના પ્રસાદ માટેના બોક્સને જર્મન ટેકનોલોજીના ઉપયોગથી આધુનિક મશીનો દ્વારા ઓક્સિજન-નાઈટ્રોજન પેકિંગ દ્વારા, હાયજેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. આજે ધરાવાયેલા અન્નકૂટના પ્રસાદનું વિતરણ ભક્તોને અમદાવાદમાં સ્થિત જુદી-જુદા મંદિરો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

અન્નકૂટની સાથે ભારતીય સંસ્કૃતિના પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોને રજૂ કરતું સાંસ્કૃતિ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. આજે યોજાયેલ ભવ્ય અન્નકૂટના દર્શન શાહીબાગ મંદિરે સવારે 10:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી થશે.