BAPS શાહીબાગ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો ભવ્ય અન્નકૂટ, 1200 થી વધારે વાનગીઓ તૈયાર કરવામાં આવી

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવ સાથે સંતો અને ભક્તોએ ઠાકોરજીને ધરાવેલ 1200થી વધારે વાનગીઓના ધરાવેલા અન્નકૂટના દર્શન કર્યા હતા. છેલ્લાં 45 દિવસથી આ ભવ્ય અન્નકૂટ માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. સંતોની સાથે પુરુષ હરિભક્તોની સાથે મહિલા હરિભક્તોએ સેવા પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

| Updated on: Nov 13, 2023 | 2:14 PM
4 / 5
અંદાજે 1.5 લાખ જેટલાં અન્નકૂટના પ્રસાદ માટેના બોક્સને જર્મન ટેકનોલોજીના ઉપયોગથી આધુનિક મશીનો દ્વારા ઓક્સિજન-નાઈટ્રોજન પેકિંગ દ્વારા, હાયજેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. આજે ધરાવાયેલા અન્નકૂટના પ્રસાદનું વિતરણ ભક્તોને અમદાવાદમાં સ્થિત જુદી-જુદા મંદિરો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

અંદાજે 1.5 લાખ જેટલાં અન્નકૂટના પ્રસાદ માટેના બોક્સને જર્મન ટેકનોલોજીના ઉપયોગથી આધુનિક મશીનો દ્વારા ઓક્સિજન-નાઈટ્રોજન પેકિંગ દ્વારા, હાયજેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા. આજે ધરાવાયેલા અન્નકૂટના પ્રસાદનું વિતરણ ભક્તોને અમદાવાદમાં સ્થિત જુદી-જુદા મંદિરો દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત ગરીબ અને જરૂરિયાતમંદ લોકોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.

5 / 5
અન્નકૂટની સાથે ભારતીય સંસ્કૃતિના પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોને રજૂ કરતું સાંસ્કૃતિ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. આજે યોજાયેલ ભવ્ય અન્નકૂટના દર્શન શાહીબાગ મંદિરે  સવારે 10:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી થશે.

અન્નકૂટની સાથે ભારતીય સંસ્કૃતિના પારિવારિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોને રજૂ કરતું સાંસ્કૃતિ પ્રદર્શનનું પણ આયોજન કરાયું છે. આજે યોજાયેલ ભવ્ય અન્નકૂટના દર્શન શાહીબાગ મંદિરે સવારે 10:30 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યા સુધી થશે.