અયોધ્યામાં ફરી સર્જાયો રેકોર્ડ, એક સાથે 22 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા, 100 દેશમાંથી લોકોએ લાઈવ જોયો નજારો, જુઓ તસ્વીરો
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં આજે દીપોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સહિત ઘણા નેતાઓ અને ઘણા દેશોના રાજદૂત હાજર રહ્યા. જણાવી દઈએ કે અયોધ્યા દીપોત્સવમાં 22 લાખથી દીવડા અલગ અલગ ઘાટો પર પ્રગટાવવામાં આવ્યા.
મુખ્યપ્રધાન યોગીએ વધુમાં જણાવ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે આ કાર્યક્રમના સાક્ષી બન્યા છે. આ કાર્યક્રમ 100 દેશમાંથી લાઈવ જોવામાં આવી રહ્યો છે. 7 વર્ષ પહેલા અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
5 / 5
તમને જણાવી દઈએ કે 22 જાન્યુઆરી 2024ના રોજ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે અને રામલલ્લા મંદિરમાં બિરાજમાન થશે.