Amarnath Yatra 2023: પવિત્ર અમરનાથ ગુફામાંથી શિવલિંગની તસવીરો જાહેર, 1 જુલાઈથી શરૂ થશે યાત્રા

|

Jun 01, 2023 | 1:05 PM

Amarnath Yatra : અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે, પરંતુ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં પવિત્ર અમરનાથ ગુફામાંથી શિવલિંગની તસવીરો સામે આવી છે.

1 / 5
જાહેર કરાયેલી તસવીરોમાં પવિત્ર શિવલિંગની સાથે માતા પાર્વતી અને ગણેશના પ્રતિક ગણાતા હિમલિંગ પૂર્ણ કદમાં જોઈ શકાય છે.

જાહેર કરાયેલી તસવીરોમાં પવિત્ર શિવલિંગની સાથે માતા પાર્વતી અને ગણેશના પ્રતિક ગણાતા હિમલિંગ પૂર્ણ કદમાં જોઈ શકાય છે.

2 / 5
અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થવામાં એક મહિનો બાકી છે અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.યાત્રાનો રૂટ તૈયાર કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થા માટે ગુફામાં પહોંચી ગયા છે.

અમરનાથ યાત્રા સત્તાવાર રીતે શરૂ થવામાં એક મહિનો બાકી છે અને અધિકારીઓ અને સુરક્ષા દળના જવાનો ગુફામાં પહોંચી ગયા છે.યાત્રાનો રૂટ તૈયાર કરવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. શ્રાઈન બોર્ડ અને સુરક્ષા દળના અધિકારીઓ વ્યવસ્થા માટે ગુફામાં પહોંચી ગયા છે.

3 / 5
યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. બરફ કાપીને ટ્રેકને મુસાફરો માટે યોગ્ય બનાવવામાં આવી રહ્યો છે. આર્મીની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અહીંના બંને માર્ગો (બાલતાલ અને ચંદનવાડી) પર કામ કરી રહી છે.પાછલા વખત કરતા આ વખતે ટ્રેક પર અનેક ગણો બરફ પડ્યો છે અને હજુ પણ સમગ્ર રૂટ પર દસથી વીસ ફૂટ બરફ જમા થયો છે. આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે અને રક્ષાબંધનના દિવસે 29 ઓગસ્ટે સમાપ્ત થશે.

યાત્રાના માર્ગ પરનો બરફ સાફ કરવાનું કામ પણ લગભગ પૂર્ણ થઈ ગયું છે. બરફ કાપીને ટ્રેકને મુસાફરો માટે યોગ્ય બનાવવામાં આવી રહ્યો છે. આર્મીની બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અહીંના બંને માર્ગો (બાલતાલ અને ચંદનવાડી) પર કામ કરી રહી છે.પાછલા વખત કરતા આ વખતે ટ્રેક પર અનેક ગણો બરફ પડ્યો છે અને હજુ પણ સમગ્ર રૂટ પર દસથી વીસ ફૂટ બરફ જમા થયો છે. આ વર્ષની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થઈ રહી છે અને રક્ષાબંધનના દિવસે 29 ઓગસ્ટે સમાપ્ત થશે.

4 / 5
સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

5 / 5
અમરનાથ યાત્રા 2023માં અરજી કરવા માટે ઉંમર નક્કી કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે જો કોઈ મહિલા 6 મહિનાથી વધુ સમયથી ગર્ભવતી હોય તો તે આ યાત્રા પર જઈ શકતી નથી.

અમરનાથ યાત્રા 2023માં અરજી કરવા માટે ઉંમર નક્કી કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે જો કોઈ મહિલા 6 મહિનાથી વધુ સમયથી ગર્ભવતી હોય તો તે આ યાત્રા પર જઈ શકતી નથી.

Next Photo Gallery