
ધ પ્રિન્ટે ડિફેન્સ એન્ડ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટના એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, AK-47 તેની વિશ્વસનીયતા અને ઉપયોગમાં સરળતાને કારણે પસંદગીનું શસ્ત્ર છે. તેને અપગ્રેડ કરવાથી સેનાના જવાનોને સારી પકડ અને ફાયરિંગ પોઝિશન મળશે. આ લક્ષ્યને ચોક્કસ બનાવશે. આ સુધારાઓ એકમ સ્તરે કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર, અપગ્રેડ કિટમાં રાઈફલને સંપૂર્ણપણે નવો લુક આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, AK-47ના અપગ્રેડેશનને લઈને ભારતીય બજારમાં અત્યાર સુધી ઈઝરાયેલના ફેબ ડિફેન્સનો એકાધિકાર હતો. પરંતુ ભારતીય કંપની SSS ડિફેન્સે પણ આ ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. અહેવાલો અનુસાર, મોટાભાગના અપગ્રેડ જમ્મુ અને કાશ્મીર સ્થિત યુનિટ માટે કરવામાં આવ્યા છે.
Published On - 4:49 pm, Fri, 22 April 22