
અમદાવાદમાં નહેરુ બ્રિજનું સમારકામ શરૂ થતા તંત્ર દ્વારા 45 દિવસ માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. સવારે લોકોની અવરજવરનો સમય હોવાથી એલિસબ્રિજ ઉપર ટ્રાફિક જામ થયો હતો. ટાગોર હોલથી લઇને તિલકબાગ સુધીનો ટ્રાફિક જામ થયો હતો. જેમાં AMTS ની બસથી લઇને નોકરી પર જતા વ્યક્તિઓ ટ્રાફિકમાં ફસાયા હતા.

આ પુલ પર વારંવાર ટ્રાફિકજામની સમસ્યાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સવારે ઓફિસ જતા લોકોને બ્રિજ પર ટ્રાફિક જામથી મુશ્કેલી પડી રહી છે.