
મદ્રાસ IITના સ્ટ્રકચરલ રિપોર્ટ અને અભિપ્રાય મુજબ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી કોઈ અકસ્માત ના થાય તે હેતુથી સરદાર પટેલ સ્ટેડિયમ હવેથી જાહેર કાર્યક્રમો તેમજ ઈવેન્ટો માટે રિપેરીંગ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. સ્ટેડિયમમાં જે લોકો રોજ મોર્નિંગ તેમજ ઇવનિંગ વોક માટે આવે છે તેના માટે સ્ટેડિયમ ચાલુ રહેશે.

સરદાર પટેલ સ્ટેડિયમને 20મી સદીના હેરિટેજ મોન્યુમેન્ટ તરીકે વર્લ્ડ મોન્યુમન્ટ વોચલીસ્ટ 2020માં કરવામાં આવ્યો છે.

હવે આખું રિનોવેશન કરી અને હેરિટેજ લૂક આપી નવું બનાવવાનું આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે.

પ્રથમ ફેઝમાં 50 કરોડના ખર્ચે આખુ રિનોવેશન કરવામાં આવશે.જેના માટે આગામી દિવસોમાં ટેન્ડર અને તેની ડિઝાઇન સહિતની કામગીરી કરવામાં આવશે.

ગુજરાત ખેલ મહાકુંભ 2022ના કાર્યક્રમ દરમ્યાન કેટલીક જગ્યાએ પણ આર.સી.સી. પોપડા પડવાની સંભાવના હોય બેઠકવાળા ભાગમાં કેમોફલેન્જ હોર્ડિગ લગાવી પ્રોટેક્શન કરાવવામાં આવ્યા હતા. (Photos By Deepak Sen, Edited By Omprakash sharma)