
સંખ્યા યોગ્ય મળી રહે એના માટે મહાપ્રસાદના પાસની સિસ્ટમ નક્કી કરવમાં આવી હતી. પાસ માટે કોઈ જ ચાર્જ નથી આપવાનો એવું નક્કી કરવામાં આવ્યું લોકો એ આ નિધિ સંગ્રહમાં ઉત્સાહ દેખાડ્યો 11 રૂપિયાથી લઇ અને 11000 રૂપિયા સુધીની રાશિ નિધિ સંગ્રહમમાં લોકો દ્વારા સમર્પિત કરવામાં આવી હતી.

માત્ર લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે ફૂલ નહીં તો ફૂલની પાંખળીનું સમર્પણ આપે તો પણ ઘરના સભ્યો પ્રમાણે પાસ આપવા એ નક્કી કરાયું હતુ. હાલના અંદાઝ મુજબ લગભગ 5000 લોકો મહાપ્રસાદ ભોજનનો લાભ લેશે આવી સંગઠનની ગણતરી છે. આ ઉપરાંત લગભગ 300 સનાતન ભાગવા ઘ્વજ 50 મોટા ઘ્વજ તેમજ 60 આજુબાજુ પોસ્ટર્સ જેમાં રામ ચરિત માનસ ચોપાઈઓ તેમજ પ્રભુના ફોટોઝ, કાર્યક્રમની રૂપરેખા છે તેવા લગાડવામાં આવ્યા.

51000 દિવા દ્વારા રોશની કરવી એ સંગઠનનું મુખ્ય લક્ષ્ય હતું જેમાં લગભગ બકેરી સિટીના 1500 લોકો એ શ્રમ દાન કર્યું હતુ. જેમાં ખાસ બહેનો એ ખૂબજ ઉત્સાહ દેખાડ્યો હતો. આ ઉપરાંત અખંડ રામાયણ, અયોધ્યા માંથી આવેલી પ્રભુ રામની પાદુકાનું પૂજન, સુંદર કાંડ, મહાઆરતી જેમાં બહેનો પોતાના ઘરેથી આરતીની થાળી સજાવીને આવશે, મહાપ્રસાદ અને ભવ્ય આતીશબાજી જેવા અનેકો કાર્યક્રમની શૃંખલાનું સ્વયં સેવકના પરિશ્રમથી આયોજન કરવામાં આવ્યું હતું.
Published On - 11:22 pm, Thu, 30 March 23