Ahmedabad: લઘુ ઉદ્યોગને આગળ વધારવા રેલવેની અનોખી પહેલ ‘વન સ્ટેશન વન પ્રોડક્ટ યોજના’

|

Apr 10, 2022 | 6:41 PM

આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે.

1 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ અને વિસરાતી જતી કલાને સાચવવા અને તેને આગળ વધારવા માટે પહેલ કરી છે. જે પહેલના ભાગ રૂપે આજે કાલુપુર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ શરૂ કરવામાં આવી. જેની શરૂઆત રેલવે DRMએ કરાવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ અને વિસરાતી જતી કલાને સાચવવા અને તેને આગળ વધારવા માટે પહેલ કરી છે. જે પહેલના ભાગ રૂપે આજે કાલુપુર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ પહેલ શરૂ કરવામાં આવી. જેની શરૂઆત રેલવે DRMએ કરાવી હતી.

2 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ તેમજ હસ્તકળાને પ્રોત્સાહન આપવા માટે હાકલ કરી છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લઘુ ઉદ્યોગ તેમજ હસ્તકળાને પ્રોત્સાહન આપવા માટે હાકલ કરી છે. ત્યારે અમદાવાદ રેલવે સ્ટેશન દ્વારા અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

3 / 6
વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત રેલવે વિભાગ પ્લેટફોર્મ પર ખુબજ ઓછા દરે લોકોને સ્ટોલ ભાડે આપશે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 500 રૂપિયામાં 15 દિવસ માટે સ્ટોલ ભાડે અપાયો. જ્યાં હસ્તકલાને રજૂ કરતા એવા કાર્પેટ સહિતની વસ્તુઓ રખાઈ. 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી શકે.

વન સ્ટેશન વન પ્રોડક્ટ અંતર્ગત રેલવે વિભાગ પ્લેટફોર્મ પર ખુબજ ઓછા દરે લોકોને સ્ટોલ ભાડે આપશે. કાલુપુર રેલવે સ્ટેશન ખાતે 500 રૂપિયામાં 15 દિવસ માટે સ્ટોલ ભાડે અપાયો. જ્યાં હસ્તકલાને રજૂ કરતા એવા કાર્પેટ સહિતની વસ્તુઓ રખાઈ. 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળી શકે.

4 / 6
 આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. અને અલગ અલગ પ્રોડક્ટ સ્ટોલ પર રજૂ થતા લોકો તેને લઈ તો શકે પણ તેને જાણી પણ શકે.તો આ તરફ સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમમાં હાજર રેલવે ડીઆરએમે જણાવ્યું હતું કે દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. અને અલગ અલગ પ્રોડક્ટ સ્ટોલ પર રજૂ થતા લોકો તેને લઈ તો શકે પણ તેને જાણી પણ શકે.તો આ તરફ સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.

5 / 6
 જે હસ્તકલા કારીગરને રોજગારી તો પૂરી પાડે સાથે અમદાવાદ અને ગુજરાતની અલગ છાપ પણ ઉભી કરે. કાર્યક્રમમાં હાજર રેલવે DRMએ જણાવ્યું હતું દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. તો સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેમ પણ જણાવ્યું

જે હસ્તકલા કારીગરને રોજગારી તો પૂરી પાડે સાથે અમદાવાદ અને ગુજરાતની અલગ છાપ પણ ઉભી કરે. કાર્યક્રમમાં હાજર રેલવે DRMએ જણાવ્યું હતું દર 15 દિવસે એક પ્રોડક્ટ રાખવામાં આવશે જેથી લઘુ ઉદ્યોગ આગળ આવી શકે. તો સ્ટોલ ધારકે રેલવેના પ્રયાસને વધાવ્યો તેમજ તેનાથી તેઓને કમાણી થશે તેમ પણ જણાવ્યું

6 / 6
ઉલ્લેખનીય છે કે ભારતમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સિવાય રાજકોટ. ભાવનગર. વડોદરા. સુરત. મુંબઇ. ઇન્દોર રતલામ અને હવે અમદાવાદમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જે તમામ સ્થળે શહેરની ઓળખ કરતી પ્રોડક્ટ રાખવામાં આવી છે. જેથી સ્ટેશનની અલગ ઓળખ ઉભી થાય તેમજ સ્ટેશન પરથી શહેર અને રાજ્યની પણ અલગ ઓળખ ઉભી થાય.

ઉલ્લેખનીય છે કે ભારતમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન સિવાય રાજકોટ. ભાવનગર. વડોદરા. સુરત. મુંબઇ. ઇન્દોર રતલામ અને હવે અમદાવાદમાં આ પહેલ શરૂ કરવામાં આવી છે. જે તમામ સ્થળે શહેરની ઓળખ કરતી પ્રોડક્ટ રાખવામાં આવી છે. જેથી સ્ટેશનની અલગ ઓળખ ઉભી થાય તેમજ સ્ટેશન પરથી શહેર અને રાજ્યની પણ અલગ ઓળખ ઉભી થાય.

Next Photo Gallery