
આ છે મંજુબા નું રસોડું જેમાં વિનામૂલ્યે પીરસવામાં આવે છે સાત્વિક સાથે પૌષ્ટિક ભોજન એ પણ ગરમાં ગરમ કોઈ ભૂખ્યું ના સુવે એ તે ઉદ્દેશથી આ રસોડું કામ કરે છે અમદાવાદના મયુરભાઈ કામદાર અને તેમના પરિવાર એ માતા મંજુબાના વિચાર થી પ્રેરિત થઈ આ રસોડાની શરૂઆત કરી છે અને આ ફૂડ ટ્રક તૈયાર કરી આ ફૂડ ટ્રક દ્વારા તેમની ટીમ જરૂરિયાત મંદ અને ગરીબ લોકોને શુદ્ધ સાત્વિક અને આરોગ્યપ્રદ ભોજન પીરસે છે.

આ રસોડાના સંચાલક મયુરભાઈ કામદારનું કહેવું છે કે માતા મંજુબા નું જીવનનું એક લક્ષ્ય હતું કે ગરીબ, રસ્તા પર રહેતો કોઈપણ વ્યક્તિ ભૂખ્યો ના સુવે તે તેમના જીવનનું સૂત્ર હતું અને આ સૂત્ર અમારા પરિવારનું પણ બની ગયું હતું covid ના એક વર્ષ પહેલા સપ્ટેમ્બર 2021માં રસોડાની શરૂઆત કરી હતી ત્યારે અંદાજે ૧૫૦થી ૨૦૦ ફુડ પેકેટ બનાવી સ્લમ વિસ્તારમાં તેનું વિતરણ કરવામાં આવતું હતું અહીં અટકવું ન હતું અને આ કાર્યને મોટા પાયે અને વધુ મા વધુ લોકોને કેમ મદદ થાય તેવું કરવાનું નક્કી કર્યું.

Covid 19 કોરોનાની શરૂઆત થતાં મંજુબા ના રસોડા ની કામગીરી બંધ કરવી પડી હતી આ દરમિયાન ઘણું વિચાર કર્યો કે આ રસોડાની કામગીરીને ખૂબ સારી અને કાયમી ધોરણે કેવી રીતે ચાલુ રાખી શકાય એ વિચાર આ ફૂડ ટ્રક માં પરિણમ્યો અને ફૂડ ટ્રક તૈયારી કરી આ ફૂડ ટ્રક દ્વારા અમદાવાદ અને ગાંધીનગર માં જુદી જુદી જગ્યાએ લઈ જઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમાગરમ ભોજન તેમના ઘર આંગણે જમાડી શકાય તેવી વ્યવસ્થા શક્ય બની.

Food truck એટલે 'મંજુબા નું રસોડું' જેની શરૂઆત કરી એ પણ વિનામૂલ્યે જમાડવાની ભોજન માટે તમારે ભીખ માંગવા ની જરૂર નથી સન્માન સાથે ભોજન કરી શકો છો તે અહેસાસ કરાવવા ટીમ બનાવી સ્પિકર દ્રારા અને પત્રિકા છપાવી જે દિવસે જમાડવા જવાનું હોય તેના આગલા દિવસે જઈ એનાઉસમેન્ટ કરી જાણ કરવામાં આવે છે અને પત્રિકા આપી આમંત્રણ આપવામાં આવે છે સફળતા મળતી ગઈ તેમ તેમ વધુ સારું કેવી રીતે મદદ થાય તે માટે અમે પાંચ જણની ટીમ બનાવી અને આમંત્રણ પત્રિકા પણ છપાવી જે જગ્યાએ ફૂડ લઈને ભોજન કરાવવા માટે જવાનું હોય તેના એક દિવસ પહેલા આ ટીમ સ્પીકર દ્વારા એનાઉન્સમેન્ટ કરી આમંત્રણ પત્રિકા આપી બધાને જાણ કરવામાં આવે છે કે કાલે આ સમયે અહીં આવી ગરમાગરમ ભોજન બનાવી જમાડશું તે પણ અનલિમિટેડ અને વિનામૂલ્યે.

સપ્ટેમ્બર 2021માં રસોડાની શરૂઆત કરી હતી ત્યારે લંચ દરમિયાન 150 પ્લેટ અને રાત્રિ દરમિયાન ૨૦૦ ભોજનની પ્લેટ નું વિતરણ થતું હતું જે આજે 600 ભોજન પ્લેટનું વિતરણ થાય છે પરંતુ પ્રતિસાદને જોતા હવે અમારું લક્ષણ નજીકના ભવિષ્યમાં 1000 ભોજન પ્લેટનું વિતરણ કરવાનું છે જેથી વધુ ને વધુ જરૂરિયાત મંદ લોકોની સેવા કરી શકાય.

અમારી 12થી 15 માણસ ની ટીમ છે જે જગ્યા પર જઈને ભોજન તૈયાર કરે છે ભોજન માટે અમારા ઘરમાં રસોડું તૈયારી કરવામાં આવ્યું છે જેમાં અમુક વાનગી તૈયાર કરી લઈ જવામાં આવે છે બાકી ની વાનગી સ્થળ પર તૈયાર કરવામાં આવે છે.

મંજુબાના રસોડા દ્વારા દરરોજ હાલ દૈનિક 500થી 600 લોકોને ભોજન પીરસવામાં આવે છે મયુરભાઈ કામદાર અને તેમની ટીમ જાતે આ રસોડામાં બનાવવામાં આવતું ભોજન શુદ્ધ અને સાત્ત્વિક અને પૌષ્ટિક બને તેનું ધ્યાન આપતા હોય છે સ્વચ્છતાની પણ ખૂબ જ કાળજી લેવામાં આવે છે ભોજન બની જાય એટલે પહેલા ટીમના સભ્યો ભોજનને ટેસ્ટ કરે છે ત્યારબાદ જરૂરિયાત મંદ લોકો ને આ ભોજન પીરસવામાં આવે છે.

અમદાવાદ અને ગાંધીનગર થઈને 50 થી 60 સ્લમ એરીયા નક્કી કરેલા છે જ્યાં અમે આ ફૂડ ટ્રક દ્વારા જરૂરિયાત મંદ લોકોને ભોજન કરાવી એ છે.

આપ પણ આ મંજુબાના રસોડામાં આપની સેવા આપી શકો છો સેવામાં આપ શ્રમદાન પણ કરી શકો છો સાથે જેમને પૈસા થકી મદદ કરવી હોય તો પણ કરી શકે છે. જન્મદિવસ કે કોઈપણ સારા ખોટા પ્રસંગે આપને ભોજન કરાવવા ઈચ્છતા હોવ તો 40થી 50 રૂપિયા એક વ્યક્તિ દીઠ આપી તમારા જ હાથે તમે ગરીબ અને જરૂરીયાત મંદને ભોજન કરાવી શકો છો તમે તમારી ઈચ્છા અનુસાર જે જગ્યાએ ભોજન કરાવવું હોય ત્યાં અમારી ટીમ આવીને પણ ભોજન કરાવે છે. ( Photos By- Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)