
Modi@20 અંગે વાત કરતાં બદ્રી મહાપાત્ર, ચેરમેન, રિસેપ્શન કમિટી જણાવે છે કે આ પ્રદર્શન દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિધ્ધિઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શન એ તેમના વિઝનરી નેતૃત્વના ઉદાહરણરૂપ છે. અમને આ પ્રદર્શન અમદાવાદમાં રજૂ કરવાનો આનંદ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન લોકોને તેમના વધુને વધુ પરિવર્તન અને પ્રગતિલક્ષી પાસાનો સાચા અર્થમાં પરિચય કરાવશે.

આ પ્રદર્શન ભુવનેશ્વર, ગુવાહાટી, નાગપુર અને ભોપાલમાં યોજાઈ ચૂક્યું છે અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શન તા. 2 થી 4 જૂન દરમ્યાન ગુજરાત સ્ટેટ લલિતકલા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ કે. બારોટ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુભદ્રા આર્ટ ગેલેરીના ચેરમેન ડૉ સૂર્ય રથ અને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના ચેરમેન એચ.કે.દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.