
આગળ તમે તસ્વીરો મા જોયું કેટલાક આરક્ષિત સ્મારક પાસે મોટા બેનર લગાવ્યા છે તો ક્યાંક આડેધડ પાર્કિંગ કરેલા જોવા મળશે જેનું ઉદાહરણ આ રાજકીય પાર્ટી પોતાના પોસ્ટર લગાવી નિયમોનું ઉલ્લંઘન કરી રહી હોઇ તેમ સ્પષ્ટ દેખાય છે આ તસ્વીર રાયપુર દરવાજાની છે જ્યાં આપ પોસ્ટર જોઈ રહ્યાં છો હજારો પર્યટકો આ હેરિટેજ સાઈટ નિહાળવા આવતા હોય છે તેમને આ સ્મારક કરતા પહેલા પોસ્ટર પર ધ્યાન કેન્દ્રિત થતું હોય તેમ લાગે છે.

અમદાવાદ ની અન બાન અને શાન ગણાતા આ દરવાજા જેની જાળવણી અને રખ રાખવા ની જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની છે પણ જાણે આ બધું કાગળ ઉપર હોય તેમ આ રાયખડ દરવાજાની પાસે પાર્કિંગ કરેલા સંખ્યા બંધ વાહનોની લાંબી કતારની આ તસ્વીર સાક્ષી પૂરે છે.

12 દરવાજા અને 13 મું બારું એટલે આશાભીલ નો ટેકરો જે તસ્વીર મા જોઈ શકાય છે રાજા કર્ણ દેવે આશાભીલ ને હરાવીને આશાવલ્લી એટલે કે આજ નું અમદાવાદ જીતી લીધું હતું પણ આ હેરિટેજ સાઈટની સાર સંભાર લેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હારી ગયું છે આ સ્મારકોની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૃપિયા બજેટમા ફાળવવામાં આવે છે પણ જો સાચા અર્થમાં તેની જાળવણી કરવામાં આવતી હોત તો આજે આ સ્મારક કે જે પાર્કિંગ બની ગયા છે તે તસ્વીરો કંઈક અલગ જ હોત આશા કરીએ કે આ અમદાવાદનો વારસો કે જે સન્માનનો હકદાર છે તે તેને મળે.

અમદાવાદ મહાનગર પાલિકા આરક્ષિત સ્મારકોની જાળવણી પાછળ કરોડો રૃપિયાની કોર્પોરેશન તેમના બજેટ ફાળવવામાં આવે છે પણ તેની સાચા અર્થમાં જાળવણી જો કરવામાં આવતી હોય તો આજે અમદાવાદ ની શાન ગણાતો આ ત્રણ દરવાજો જ્યાં આસપાસ માર્કેટ આવેલું છે જે માર્કેટ હવે તો આ દરવાજા મા પણ ભરાવવા લાગ્યું છે જે આ સ્મારક ની શોભા મા દાગ સમાન કહી આ હેરિટેજ સાઈટ જોવા આવનારા પર્યટકો સાઈટની આવી પરિસ્થિતિ જોઈ શું વિચાર કરતા હશે.

આજે દરવાજા દેખાય રહ્યો છે તે છે પાંચકુવા દરવાજા સ્પષ્ટ જોઈ શકાય છે 3 ગેટ છે જેમાં થી બે ગેટ તો આ પાથરણાવાળા માટેના બનાવ્યા હોય તે રીતે ઉપયોગ કરી રહ્યા છે ક્યાં છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ક્યાં ગયા હેરિટેજ વિભાગના કર્મચારીઓ કે જેનો આ લોકોને ડર જ ના હોય તેમ બિન્દાસ દુકાનો શરૂ કરી દીધી છે કે પછી કોઈ બીજું કારણ હશે પણ આમાં અમદાવાદ ઐતિહાસિક વારસાને નિહાળવા આવતા લોકોનો શું વાંક કે તમને આ દુકાનો જોવી પડે. ( Photos By- Divyang Bhavsar, Edited By- Omprakash Sharma)