
ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવ્યા બાદ બોરિસ જોન્સને રેંટિયો પણ કાંત્યો હતો. અને રેટિંયા અંગે ઝીણવટપૂર્વક માહિતી મેળવતી હતી. જે બાદ ગાંધી આશ્રમની પ્રવૃત્તિ, બાપુના જીવન અને નિયમો અંગે પણ જાણકારી મેળવી હતી.

આ મુલાકાત દરમિયાન મીઠાના કર અંગે જાણી બ્રિટનના વડાપ્રધાને આશ્ચર્ય અનુભવ્યું હતું. ગાંધી આશ્રમના ટ્રસ્ટીઓએ એક પુસ્તક અને સ્મૃતિચિન્હ પણ બોરિસ જોન્સનને ભેટ આપ્યું હતું. આ મુલાકાત સમયે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હાજર રહીને સતત માર્ગદર્શન આપ્યું હતું.